BODELICHHOTA UDAIPUR

બોડેલી નગરમાં હરખલી કોતર ઉપર બિલ્ડરો દ્વારા કરાયેલા દબાણો દૂર કેમ કરાતા નથી?

PM, CM સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની મુલાકાત છતાં પરિસ્થિતિ જૈસે થે બોડેલી નકશામાંથી અલીપુરા ચાર રસ્તા પર બનેલા કોમ્પ્લેક્સ ના દબાણોથી હરખલી કોતર આખેઆખું ગાયબ.

PM, CM સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની મુલાકાત છતાં પરિસ્થિતિ જૈસે થે બોડેલી નકશામાંથી અલીપુરા ચાર રસ્તા પર બનેલા કોમ્પ્લેક્સ ના દબાણોથી હરખલી કોતર આખેઆખું ગાયબ.

હરખલી કોતર ઉપર અલીપુરા રા. ચાર ની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો કરાયા છે. આ દબાણ માથાઓ કે રાજકીય વગ ધરાવતા કે બિલ્ડરો દ્વારા કરાયા હોવાની ચર્ચા બોડેલીમાં થઈ રહી છે. ૧૦મી જુલાઈ- 22 બાદ હરખલી કોતરના પ્રશ્નને તાકીદે લાવવા તેમજ કોતરની સાફસફાઈ કરાવવાના વચનો આપી ગયા છતાં ૮-૮ મહિના વિતવા છતા પણ સાફ કરાયુ નથી.

અનેકવાર પંચાયત તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને છેક રાજ્ય સરકાર સુધી અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં વિસ્તારની સોસાયટીઓમાં થી ગટર લાઈનોનું કામકાજ મંજુર કરાતું નથી. આગામી ત્રણ મહિના પછી ફરી ચોમાસું

આવશે. અને ફરી ૧૦ જુલાઈ જેવો વરસાદ પડે તો બોડેલી નગરની શું હાલત થશે? જે બોડેલી નગરની ચાર પંચાયતોની સૌથીમોટી સમસ્યા છે.

હરખલી કોતરમાં જાય છે હરખલી કોતરની આસપાસના તેમજ કોતરની અંદરસફાઈ કરાવી પાણી પહેલા પાળ બાંધવામા આવે તેવી નગરના લોકોની માંગ છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!