તા.24.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનમાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ
દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા