GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:અંધશ્રદ્ધા અને વહેમ ના કારણે ચાર બાળકો સાથે વિધવા મહિલાને ઘરમાંથી કાઢી મુકતા અભયમ હાલોલ મદદે પોહચી.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૫

હાલોલ તાલુકાના નઝીકના વિસ્તારમાંથી એક પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે તેમના સાસુ સસરા તેમના પતિ હયાત ન હોવાથી અન્ય વ્યક્તિ સાથે સબંધ છે તેવી વહેમ રાખી અને તેમના સસરા બીમાર થતાં તેમના સાસરીવાળા તેમના પર કાળીવિદ્યા કરાવી મારવાની કોસીસ કરે છે તેવો આક્ષેપ લગાવી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકતા 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માટે જાણ કરી હતી,જેથી 181 અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંથી પીડિતા ના સસરા થોડા દિવસથી બીમાર હોવાથી તેમના ઘરે આવી ઝઘડો કરવા લાગ્યા હતા પીડિતા બેન કામ કરવા માટે જાય ત્યારે ત્યાં કોઈક ની પાસેથી ચોખા મંત્રાવી લાવી માટે તે બીમાર થાય છે તેમ કરી અપશબ્દો બોલી ઝઘડો કરતા હોવાથી 181 અભયમની ટીમે પીડિતાના સાસરીવાળાનું કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું હતુ.તેમજ પિડીતાના સસરા બિમાર હોય તો તેમને સારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવવા માટે સમજ આપી તેમજ આ રીતે અંધશ્રદ્ધાના અને વહેમ ના કારણે ખોટા આક્ષેપ લગાવી ઝઘડો કરવાથી તેમના પર ગુનો દાખલ થઈ શકે છે તે વિશે સમજ આપતા પીડિતાના સાસરીવાળાએ જણાવેલ કે હવે તેઓ તેમને સારી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવશે તેમજ હવે પછી ખોટી રીતે અમારી વહુ પર ખોટા આક્ષેપ લગાવીને હેરાનગતિ નહીં કરીએ તેવી પણ ખાતરી આપતા બંને પક્ષને કાઉન્સિલિંગ કરી સમજાવી બંને પક્ષની સેહમતીથી સમાધાન કરાવ્યું હતું.પોતાને સમયસર મદદ પહોંચાડવા બદલ અને તેમની સાસરીવાળાને સમજાવવા બદલ પીડિતા એ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!