૧૨-જામનગર સંસદીય મતવિસ્તારના ઓબઝર્વરઓની અધ્યક્ષતામાં EVM- VVPATનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાયું
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૧૨ જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતવિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે વિધાનસભા મતવિભાગ માટે ઇવીએમ-વીવીપેટ મશીનોનું સેકન્ડ રેન્ડમાઈઝેશન પારદર્શક રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારબાદ રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મત વિભાગવાર યાદીઓ મુજબ ૧૨-જામનગર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળીયા અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગોને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.
ઇવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ તકે જનરલ ઓબઝર્વરશ્રી હસમત અલી યાતો, પોલીસ ઓબઝર્વરશ્રી ઉત્પલ કુમાર નાસ્કર, રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર શ્રી બી.કે.પંડ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યા અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના ઉમેદવારો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.