AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પહેલગામ આતંકી હુમલામાં મૃત પિતા-પુત્રને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શ્રદ્ધાંજલિ: શોકસંતૃપ્ત પરિવારોને આપ્યો ઢારસ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલ આતંકી હુમલામાં દૂઃખદ રીતે જીવ ગુમાવનાર ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસે જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવાજનોને સાંत्वના પાઠવી દિલગીર સંવેદના વ્યક્ત કરી હતી.

યતીશભાઈ અને તેમના પુત્ર સ્મિતભાઈ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં નિવાસ કરતાં હતા. આતંકી હુમલામાં બપોરે જીવ ગુમાવ્યા બાદ મોડી રાત્રે તેમનાં મૃતદેહને ઇન્ડિગોની ફ્લાઈટ મારફતે શ્રીનગરથી મુંબઈ અને પછી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યાંથી રોડમાર્ગે મૃતદેહોને મધ્યરાત્રે ભાવનગર લવાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર ભરત બારડ, ધારાસભ્યો જીતુ વાઘાણી, સેજલ પંડ્યા, ભીખા બારૈયા, ગૌતમ ચૌહાણ, તેમજ જિલ્લા કલેકટર મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી અને રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓ પણ હાજર રહી શોકસંતૃપ્ત પરિવારમાં સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીએ આ આતંકી ઘટનાને માનવતા વિરુદ્ધના કૃત્ય તરીકે જાહેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને સરકાર પીડિત પરિવારોની સાથે છે તેવી ખાતરી આપી હતી.

આ દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!