નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોકઅદાલતમાં ૯૩૧૩ કેસોનો નિકાલ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર મથકે વકીલ બાર એસોસિએશન તેમજ અન્ય સ્ટેક હોલ્ડર્સના સહયોગથી તમામ પ્રકારના સમાધાન લાયક સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરે કક્ષાની કેસોની લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ-લીટીગેશન લોકઅદાલતમાં-૪૦૭૨, લોક અદાલતમાં-૨૭૨ તથા સ્પેશીયલ સીટીંગમાં-૪૯૬૯ મળી કુલ-૯૩૧૩ કેસોનો લોકઅદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. તેમ અધિક્ષક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
“લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત.” આ લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.




