GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA
Rajkot: વીંછીયા તાલુકાના સનાળી ગામે લાગેલી આગને ફાયર ફાઈટરની ટીમ સત્વરે કાબુમાં લીધી: વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગતરોજ રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે સ્મશાનની સામે બાવળ તથા ઘાસના જથ્થા ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ઝરતા આગ લાગી હતી. ત્યાંથી પસાર થતાં કોઈ રાહગીરે સરપંચને જાણ કરી અને સરપંચે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
જસદણ નગરપાલિકાના ફાયર ફાઈટરને તુરંત જ સનાળી ગામે પહોંચવા સૂચના આપવામાં આવી. પોલીસ તથા ફાયર ફાઈટરની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે અન્ય કોઈ આર્થિક નુકસાન થયેલ નથી.
અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.