GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે ‘ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેંટ ભુજ’ અને ‘કચ્છ કેમિસ્ટ કાઉન્સીલ’ દ્વારાં “ડ્રગ્સ અવરનેશ શૈક્ષણિક” સેમિનાર યોજાયો.

ભુજના આશિસ્ટન કમિશ્નર શ્રી એન.આર.સૈયદ, ડ્રગ ઈન્સ્પેકટર શ્રી સતિશ ભૂવા,ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના મંત્રી શ્રી કિરીટભાઈ પલણ હાજર રહ્યાં.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ, તા- 25 : કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે 22-ફેબ્રુઆરી-2024 ના રોજ ” હોટલ આરમાયા” (બાય ટેન-૧૧ ગ્રુપ)આદિપુર માં ‘ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેંટ ના અને “કચ્છ કેમિસ્ટ કાઉન્સીલ” દ્વારાં ડ્રગ્સ અવેરનેશ શૈક્ષણિક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જે કચ્છ માં આ પ્રથમવાર ગાંધીધામ માં કેમિસ્ટ ડ્રગ્સ અવેરનેશ શૈક્ષણિક સેમીનાર યોજાયો હતો, જેમાં ગાંધીધામ, આદિપુર, ભચાઉ, સાંમખીયાલિ, રાપર વગરે ના કેમિસ્ટોએ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં, આ પ્રસંગે ભુજના આશિસ્ટન કમિશ્નર શ્રી એન.આર.સૈયદ, ડ્રગ ઈન્સ્પેકટર શ્રી સતિશ ભૂવા, અને આપણાં કરછના વતની હાલે અમદાવાદ રહેતાં અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના મંત્રી શ્રી કિરીટભાઈ પલણ હાજર રહ્યાં હતાં, અને કચ્છ કેમિસ્ટ કાઉન્સીલ ના પ્રમુખ શ્રી મિતેશ ઠક્કર, મંત્રી શ્રી મયુર શાહ, ગાંધીધામ અશોસિએશન ના ઉપપ્રમુખ અનિલભાઈ તન્ના, તમામ અધિકારીઓ ને ધીરુભાઈ તન્ના એ શબ્દો થી આવકાર આપ્યો હતો, આ પ્રશંગે ગાંધીધામ કેમિસ્ટ અશોસીએશન દ્વારાં અધિકારીઓને પુષ્પગુચ્છ થી આવકાર્યા હતાં, ફૂડ એન્ડ ડ્રગ્સ ના કરછના કમિશ્નર દ્વારાં દવાનો ખોટી રીતે દુર ઉપયોગ ના થાયે તેની કાળજી રાખવાં સ્પસ્ટ સૂચના આપી હતી, મોદી સરકારશ્રી પણ નશા “મુક્ત ભારત” ના કાર્યક્રમ ચલાવે છે, યુવાનો કોઈ પણ જાતના (ડ્રગ્સ ના) નશાના રવાડે ના ચડે તેની કાળજી રાખવાં અપીલ કરાઇ છે. (એન્ટિબાયોટીક્સ) દવાઓ બાબતે નવાં નવાં (નોટિફિકેશન) નિયમો અને ટી.બી ‘મુક્ત ભારત” બાબતે જાણકારી આપી હતી, કેમિસ્ટોને

નોટિફિકેશન અને આ બાબતે કેમિસ્ટ ને સમજ અને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ફુગ ઈન્સ્પેકટર શ્રી ભૂવા સાહેબે નશાની દવા ખરીદી, વેચાણ ના રજીસ્ટર અપલોડ કરવાં અને આમ પબ્લીક ને તકલીફ ના પડે તેનો ખ્યાલ રાખવાં જણાંવ્યું હતું, ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના મંત્રી શ્રી કિરીટભાઈ પલણ દવાના નિયમો બાબતે ઘણાં વર્ષો નો અનુભવ ધરાવે છે, તેમણે જણાવ્યુ કે નિયમો ઘણાં સમય થી બનેલા છે પણ હવે તેનો દૂર ઉપયોગ થશે તો તંત્ર નહીં ચલાવે તેની ચેતવણી આપી હતી, ગાંધીધામ.અશોસિએશન ના પ્રમુખ અનિલભાઈ તન્ના, તેમજ ટીમ સચિન વોરા, સુનિલભાઈ ઠકકર, સંજય ઠક્કર,નંદલાલ કેલાં, ધીરુભાઈ તન્ના, ધર્મેન્દ્ર ઠક્કર, ધર્મેશ ઠક્કર, પંકજભાઈ ઠકકર, બાબુલાલ પ્રજાપતિ, રાજેન્દ્ર ઠકકર, જગદીશભાઈ પલણ, કમલ ચંદારાણા, વિનોદ પ્રજાપતિ, વગેરે કાર્યક્રમ સફળ બનાવવાં જહેમત ઉઠાવી હતી, તેમ રાજેન્દ્ર ઠકકર ની યાદી માં જણાવાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!