GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi -મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન

 

MORBi -મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન

 

 

મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની દ્વારકાના આંબા ભગતની વાડીમાં રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિર સંપન

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે,આજના તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય શિબિરનું આયોજન થયું હતું જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી *પ્રાણાયામ* – *ધ્યાન* – *યોગ્ય આહારની સમજ* – *યોગાસન* – *આંતરિક સમજણ* સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY શિબિરનું આયોજન કરવામાં આવેલ, સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે. ત્યારે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી ખાતે દશ દિવસની શિબિર અને ચાર દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવી, સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા 150 જેટલા સાધકો અને વોલિયન્ટર ભાઈઓ અને બહેનો SSY ની શિબિરમાં જોડાયા હતા, મોરબી ખાતેની આ એસ.એસ.વાય.ની આ 93 મી શિબિરનું સમાપન દ્વારકા ખાતેની આંબા ભગતની વાડીએ થયું હતું,દશ દિવસ મોરબી ચાર દિવસ દ્વારકા એમ 14 દિવસ દરમિયાન સાધકોએ ખુબજ આત્મીય ભાવથી શિબિરમાં જીડાઈને અદ્દભુત જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.

Back to top button
error: Content is protected !!