ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ્દ, તત્કાલ ફરજ પર હાજર થવા આદેશ
ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ ઉપરાંત ગુજરાત ભારતનાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પણ ગૃહરાજ્ય છે તેવામાં પાકિસ્તાન ગુજરાતમાં કોઇ છમકલું કરી શકે છે.
ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને 9 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 100 થી વધારે આતંકવાદીઓનાં મોત થયા હતા. આ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારે અફડા તફડીનો માહોલ છે. હવે પાકિસ્તાન કોઇ કાર્યવાહી કરે તે માટે ત્યાંની જનતા દ્વારા પ્રેશર બની રહ્યું છે. તેવામાં પાકિસ્તાન પોતાના સ્વભાવ અનુસાર જ કોઇ કાયરતાપુર્ણ કૃત્ય કરી શકે છે. તેના માટે તે સીમાના કોઇ રાજ્યને ટાર્ગેટ કરી શકે છે.
ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ ઉપરાંત ગુજરાત ભારતનાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પણ ગૃહરાજ્ય છે તેવામાં પાકિસ્તાન ગુજરાતમાં કોઇ છમકલું કરી શકે છે. તેવી સ્થિતિને ધ્યાને રાખીને અગાઉ ભારત સરકાર દ્વારા લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. સમગ્ર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ મોડ પર છે.
ગુજરાત સરકાર દ્વારા પણ સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત પોલીસનાં તમામ અધિકારી-જવાન સહિતનાં સમગ્ર સ્ટાફની રજા રદ્દ કરી દેવામાં આવી છે. આ અંગેનો અધિકારીક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ પર હાજર થવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓનાં મહત્વનાં સ્થળો પર પેટ્રોલિંગ વધારવા તમામ જિલ્લાઓની બોર્ડર પર પણ સધન ચેકિંગ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.