૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી
ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનશે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
—
એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવાશે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
—
::મુખ્યમંત્રીશ્રી::
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે.
* વિકસિત રાષ્ટ્રના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ ગુજરાતના વિકાસથી સૌ પ્રભાવિત છે.
* પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે.
* સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લેવાયા.
* ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે.
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ અક્ષર: આ પ્રમાણે છે.
સૌને નમસ્કાર, ગુજરાતના ૬૫માં ગૌરવવંતા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ..
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.
ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે.
આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે.
એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે, ૧૯૬૦ થી ર૦૦૦ના ચાર દાયકામાં ગુજરાત જ્યાં હતું ત્યાંથી પાછલા અઢી દાયકામાં અનેકગણું આગળ વધી ગયું છે. આ વિકાસના પાયામાં છે ર૦૦૧થી ગુજરાતને મળેલી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ. વિકાસની રાજનીતિનો નવો યુગ ગુજરાતે વિકસાવ્યો છે અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે.
વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળમાં હવે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આપણો નિર્ધાર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના નિર્માણમાં સુશાસનની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. આપણે સુશાસનની દિશા અને બંધારણના મૂલ્યોને સુપેરે જાળવી રાખીને રાષ્ટ્ર નેતાઓની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિકાસની યાત્રા અવિરત જારી રાખવી છે.
ડૉ. બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના ૭૫ વર્ષની ગરિમામય ઉજવણી, સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનું જન્મ શતાબ્દી વર્ષ. આ બધી જ ઉજવણીઓથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જન જનમાં જગાવવો છે.
૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના ૨૫ વર્ષનો કાલખંડ અમૃતકાળ સાથે કર્તવ્યકાળ પણ છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે.
આજે જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮૭૫૦ મેગાવૉટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે. જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. વીજળી, પાણી સાથોસાથ આરોગ્ય સેવાઓ. શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમ્યક અને સર્વ સ્પર્શી વિકાસ કેવો …
[19:21, 30/04/2025] +91 99784 40941: તારીખ 30/04/2025ના રોજ સવારે લગભગ 09:35 કલાકે એક મુસાફર પોતાની રૂપિયા 4,59,000 ની રોકડ ભરેલી બેગ મેટ્રો સ્ટેશન પર ભૂલી ગયા હતા. સ્ટેશન પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટાફની સતર્ક નજરને કારણે બેગ ઝડપથી નોંધવામાં આવી. SRP દ્વારા યોગ્ય ચકાસણી બાદ બેગમાં રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.
મેટ્રો સ્ટાફ દ્વારા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ જ્યારે મૂળ માલિક બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની ઉપસ્થિતિમાં જરૂરી ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ સલામત રીતે પરત કરાઈ.
પોતાનો કિંમતી સામાન પરત મળતાં મુસાફર ખૂબ જ ભાવુક બની ગયા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી અને અસરકારક કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો તેમજ મેટ્રો સ્ટાફનો આભાર માનતાં ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા.