GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ

‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ, સર્વધર્મ સમભાવ સભામાં વિવિધ ધર્મના મહાનુભાવો દ્વારા અપાયેલા પ્રાસંગિક ઉદબોધનના મુખ્ય અંશો :

(૧) પૂજય શ્રી દિલીપદાસજી મહારાજ:(અમદાવાદ)

મજબૂત નિર્ણય શક્તિના પરિણામે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદને જે મુહતોડ જવાબ આપ્યો છે તેની સાથે આજે આખો દેશ ઊભો છે. દેશ વિરોધી આ લડાઈમાં સર્વધર્મના નાગરિકો એકસાથે છે.સંત સમાજ આપણી સરકાર અને સેના સાથે છે,અમે તમામ સહયોગ આપવા કટિબદ્ધ છીએ.

(૨) શીખ સમુદાયના પ્રતિનિધિ શ્રી રાજપાલસિંઘ:

સૌ પ્રથમ આપણે ભારતીય છીએ. આપણે બધા હંમેશા સરકાર અને સેનાની સાથે છીએ. યુદ્ધ એ કલ્યાણ નથી પણ આતંક વિરુદ્ધ જવાબ આપવો તે આપણો ધર્મ છે.અનેકતામાં એકતા એજ ભારતની વિશેષતા રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં એકતા બનાવી રાખવી આપણા સૌની પ્રથમ ફરજ છે.

(૩)મુસ્લિમ સમુદાયના શ્રી આરીફ મુલતાની:

તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરું છું.આપણી બહેનોનું સિંદૂર મિટાવનાર આતંકવાદીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના’ઓપરેશન સિંદૂર’થકી તેમનું સિંદૂર મિટાવાનું કામ કરી રહી છે તેમની સાથે આખો દેશ ઊભો છે.આપણે સાથે મળીને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની નૈતિક ફરજ નિભાવવાની છે.

(૪)ઈસાઈ ધર્મના પ્રતિનિધિ શ્રી રેવરન્ટ જુલિયસ (અમદાવાદ);

આપણી સેના અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે સચોટ કાર્યવાહી કરી રહી છે તેનું અમારું સંપૂર્ણ સમર્થન છે.આપણે દેશહિતમાં જે કરવું પડે તે કરવા તૈયાર છીએ. સૌએ એકસાથે ભારત દેશની રક્ષા કરીને અખંડિતતા જાળવી રાખવા પ્રયત્ન કરવો પડશે. દેશની સેનાનું મનોબળ વધે અને ઈશ્વર તેમને શક્તિ આપે માટે અમે આવતીકાલે અમદાવાદ ખાતે સામૂહિક પ્રાર્થના કરવાના છીએ.

(૫) સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી:

આતંકવાદ સમગ્ર માનવતાનો‌ વિરોધી છે ત્યારે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ આપણી સેના દુશ્મનોને જે જવાબ આપી રહી છે તેની સાથે આજે સમગ્ર દેશ ઊભો છે. આતતાઈનો વધ નિશ્ચિત છે ત્યારે યુદ્ધમાં જેમ હનુમાનજીએ અર્જુનના રથ પર બિરાજમાન થઇને લડવા માટે શક્તિ આપી હતી તેમ ભારતીય સેનાના પણ‌ હનુમાનજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

(૬) મહામંડલેશ્વર સ્વામી શ્રી રામમનોહરદાસજી:

આપણે સૌએ સાથે મળીને અનેકતામાં એકતાના સંદેશને સાર્થક કરવાનો છે. અમે સૌ દેશ અને દેશની સેના સાથે છીએ.

(૭) શ્રી મોદીસ કાજી:

ભારતના પેહલગાવમાં થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ બહાદુરીથી જવાબ આપ્યો છે. હાલનો સમય દેશ માટે સૌએ સાથે મળીને દેશ સેવામાં બનતું યોગદાન આપવાનો છે.

(૮)પારસી આગેવાન શ્રી ઝેર્સેક રાવ:

પ્રવર્તમાન સ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પારસી સમુદાયના તમામ નાગરિકો દેશની સાથે છે. દેશસેવાના આ અવસરમાં તેઓ દેશ અને સેનાના પડખે છે.

(૯)જૈન આગેવાન શ્રીપાલજી:

અમારો જૈન સમાજ અહિંસામાં માને છે પરંતુ રાષ્ટ્રધર્મ સર્વોપરી છે ત્યારે દેશસેવામાં અમારાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપું છું વાત જ્યારે દેશની આવે ત્યારે ધર્મને ભૂલીને અમે સેનાને મદદ કરીશું.

(૧૦)શીખ આગેવાન શ્રી ઈશ્વરસિંઘ બગ્ગા ( ગોવિંદધામ થલતેજ):

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિ છે ત્યારે આવી સ્થિતિમાં આપણે સૌએ ધર્મ ભુલીને ભારતીય બનવાનું છે.

(૧૧) શ્રી આર. કે. પટેલ:

દેશની કટોકટીની સ્થિતિમાં અમારા સમાજનો દરેક નાગરિક સરકારની સાથે છે. સરકાર દ્વારા આપવામાં આવતી તમામ માહિતી અને સૂચનાઓનું સુયોગ્ય અમલીકરણ કરાવવામાં આવશે.

(૧૨) શીખ આગેવાન શ્રી કાશ્મીરા સિંઘ:

ભારતે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે સૌએ સાથે મળીને ભારતીય બનીને વિશ્વને આપણું સામર્થ્ય બતાવવાનો સમય આવી ગયો છે.

(૧૩) શ્રી જતિન્દરપાલ સિંઘ ( ગુરુદ્વારા, ગાંધીનગર):

તમામ ધર્મ અને તમામ લોકોથી ઉપર છે રાષ્ટ્ર. કોઈપણ ધર્મ હિંસા નથી શીખવતું પરંતુ હાલની સ્થિતિમાં દેશની રક્ષામાં માટે જે કોઈ પણ પગલાં ભરવામાં આવી રહ્યાં છે તે યોગ્ય છે.

(૧૪) આગેવાન શ્રી મૌલવી હબીબ:

સમગ્ર વિશ્વ ભારતને આજે એક મજબૂત રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે. આ સ્થિતિમાં ભારત દુનિયાને બતાવી દેશે કે ભારત કેટલો શક્તિશાળી દેશ છે. દેશના દુશ્મન જે ભાષામાં સમજે તેમને તે ભાષામાં જ સમજાવવાનો સમય આવી ગયો છે.

(૧૫) દાઉદી વોરા પ્રમુખ શ્રી મુલ્લાં કુતબુદ્દીન અખ્તરભાઈ: (અમદાવાદ)

દેશ પર આવેલા આ સંકટના સમયમાં અમારા સમાજનો દરેક નાગરિક સરકારની પડખે છે. હવે દેશમાં કોઈ જ ધર્મ નથી હવે તમામ નાગરિકો ભારતીય છે.
———————–

Back to top button
error: Content is protected !!