કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ,અને તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને 24મી એપ્રિલ ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવેછે.24એપ્રિલ 2010 ના રોજ પંચાયતી રાજની ઘોષણા કરવામાં આવી.તેમજ બાળાઓને પંચાયતીરાજના ત્રણ સ્તર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,અને જિલ્લા પંચાયત ની પ્રાથમિક સમજ અપાઈ મહાત્મા ગાંધીએ પંચાયતી રાજ ની હિમાયત કરી હતી.કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય.અને આવા હેતુમાટે “ગ્રામ સ્વરાજ “એવો શબ્દ પ્રયોજાયો હતો.તેમજ બાળાઓએ પોતાના શબ્દો માં પંચાયતી રાજની ઝાંખી પ્રગટ કરી.અને પ્રમાણપત્રો આપી. પ્રોત્સાહન કર્યા.આ તકે પીએલવી પ્રકાશ જે.મકવાણા, એન વાય એસ કે દિવ્યાબેન જે.મકવાણા તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. આસિસ્ટન્ટ વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.