અંબાજી મેળામાં સેવા કેમ્પોને સ્વચ્છતા વિશે રેન્કીંગ આપવા માટે કુલ- ૨૫ ગુણના ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સેવા કેમ્પો દ્વારા ડસ્ટબીન યોગ્ય રીતે ગોઠવામાં આવ્યું છે કે નહીં ?, ડસ્ટબીનમાંથી કચરો યોગ્ય રીતે સેગ્રીગેટ કરવામાં આવે છે ?. દર્શનાર્થીઓના જમ્યા બાદ કે નાસ્તા બાદ કચરો યોગ્ય રીતે ડસ્ટબીનમાં નાખવામાં આવે છે ?. દર્શનાર્થીઓના પીવાના પાણી તેમજ જમ્યા બાદ હાથ ધોવા માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરેલ છે કે નહીં ? અને તે જગ્યાએ સ્વચ્છતા છે કે કેમ ?, કેમ્પના રસોઇયાઓ દ્વારા રસોઇઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરેલ છે ?, (ડ્રેસ કોડ, જગ્યા/ અનાજ અને વાસણની સફાઇ અને સ્વચ્છતા), કેમ્પની આજુબાજુ ૨૦ મીટર વિસ્તારમાં જે કચરો પડેલ છે તે યોગ્ય રીતે ડસ્ટબીનમાં લેવાય છે અને સમયસર નિકાલ થાય છે કે કેમ ?, સ્વચ્છતા બાબતે જાહેરાત કરતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવેલ છે કે કેમ ?, બનેલા ભોજનની જાળવણી માટે યોગ્ય સ્વચ્છતા જળવાય છે કે કેમ ?, ભોજન/ નાસ્તાની પ્લેટ/ બાઉલ સ્ટીલ અને બાયોડીગ્રેડેબલ મટીરિયલવાળા (બાયોડીગ્રેડેબલ ન હોય તો પ્લાસ્ટીક સિવાયના) છે કે નહીં ?, વધેલા ભોજન/નાસ્તાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરેલ છે કે કેમ ? અને ઝોનલ અધિકારીશ્રીનું ઓવર ઓલ માર્કીંગના આધારે સ્વચ્છતા અંગે સેવા કેમ્પોનું મૂલ્યાંકન કરવામાં આવશે.