GUJARATMAHISAGARSANTRAMPUR

કારગીલ વિજય દિવસ નિમિત્તે જિલ્લામાં કાર્યકર્તાઓ અને યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું

આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના પૂર્વ પ્રમુખ , પ્રદેશના સહ પ્રવક્તા શ્રી ડૉ.ઋત્વિજ ભાઈ પટેલ દ્વારા જીલ્લા ના કાર્યકર્તા અને યુવાઓ ને માર્ગદર્શન આપવામા આવ્યું.

રિપોર્ટર…
અમીન કોઠારી :- મહીસાગર

તેઓએ દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સરકારે દેશની સૈન્ય પાંખો ને આપેલી છુટ અને મેળવેલ વિજય ની વાત કરી હતી, આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા ઘ્વારા સૈનિકો ની વીરતા અને બલિદાન ની વાત કરી .

જીલ્લા ના સંતરામપુર તાલુકાના ડોળી ગામના કારગીલ યુદ્ધ ના યોદ્ધા વીર શહીદ રૂમાલ ભાઈ રજાત ને યાદ કર્યા હતા..

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દિવાળી અને હોળી જેવા ઉત્સવ સરહદ પર મનાવે છે ત્યારે આપણે પણ દેશ પ્રથમ નો ભાવ રાખી આવા વિરો ને બિરદાવવા અને સન્માનવા જોઈએ તેમ જણાવ્યું હતુ. શ્રી ઋત્વિજ ભાઈએ તથા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ભાઈ દ્વારા જીલ્લા ના ૨૦ સૈનિક પરિવાર ના સભ્યો ને સન્માન કરવા બદલ જીલ્લા યુવા મોરચા ને અભિનંદન પાઠવ્યા હતા .

આ કાર્યક્રમ માં શહીદ રૂમાલ ભાઈ ના પરિવાર નું પણ સન્માન કરવામાં આવ્યું હતુ,તેઓએ લુણાવાડા આર્ટસ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ માં વૃક્ષારોપણ કાર્યક્રમ માં ભાગ લીધો હતો…જ્યાં બૃહદ પંચમહાલ ના પૂર્વ યુવા પ્રમુખ શ્રી હર્ષ દવે દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ .

Back to top button
error: Content is protected !!