ભરૂચ: કંથારિયા ગામે મસ્જિદ મદ્રેસાના ખેતરોની જાહેર હરાજી વિડિયોગ્રાફી સાથે કરવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો હુકમ.
કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદીયહ ઇસ્લામીયહ,બી-૭૨,ભરૂચ, અને વોટર વર્કસ ચેરીટી ટ્રસ્ટ બી-૬૯૧,ભરૂચ વકફ સંસ્થાઓના ખેતરોની જાહેર હરાજી બાબતે અરજદાર સુહેલ ગુલામએહમદ પટેલની અરજી તાઃ-૦૬/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ઈ-મેલ મારફતે મોકલવામાં આવી હતી.અરજદાર સુહેલ ગુલામએહમદ પટેલની અરજીમાં કરેલ રજૂઆત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના અઘ્યક્ષે વંચાણે લેતા કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદિયહ ઈસ્લામીયહ કંથારિયા,બી-૭૨,ભરૂચ અને બી-૬૯૧,ભરૂચ સંસ્થાના ખેતરોની જાહેર હરાજી આગામી તાઃ-૧૦/૦૫/૨૦૨૫ ના શનિવારના રોજ રાખવામાં આવેલ છે.જે અન્વયે ખેતરોની જાહેર હરાજીની સમગ્ર પ્રક્રિયાનું નીતિ-નિયમ મુજબ કરવાનો હુકમ કરાયો છે.તેમજ હરાજી અંગેના ફોટા-વિડીયોગ્રાફી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.તથા જાહેર હરાજી પારદર્શીતા થી કરવા તાકીદ કરવામાં આવેલ છે.હવે જોવું એ રહ્યું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના હુકમની અમલવારી ટ્રસ્ટીઓ ઘ્વારા થાય છે કે કેમ.? એ આવનારો સમયજ બતાવશે.