Women Development Cell અંતર્ગત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે વ્યાખ્યાનનું આયોજન
21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
Women Development Cell અંતર્ગત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે વ્યાખ્યાનનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એન પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે Women Development Cell અંતર્ગત આજરોજ તારીખ 19/8/2025 ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. વાય. બી. ડબગર ના પરોક્ષ આશીર્વચન રહ્યા. કાર્યક્રમમાં ડો. ધ્રુવ પંડ્યા, વ્યાખ્યાતા વનસ્પતિ શાસ્ત્ર, મુખ્ય વક્તા, તરીકે ઉપસ્થિત રહ્યા.
15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સ્વતંત્રતાનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે. દેશ ભૂતકાળને પાછળ છોડીને બહુ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આવનારાં અમુક વર્ષોમાં વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન ધરાવશે, પરંતુ વિભાજનની આ પીડા ક્યારેય ભૂલી ન શકાય, વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા નો મુખ્ય ઉદ્દેશ્ય એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદના મજબૂત થાય એ છે.
14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે.
વ્યાખ્યાન માં લગભગ 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમનું સફળ આયોજન આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એન પરીખ કોલેજ ઓફ કોમર્સ ના Women Development Cell દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સંચાલન ડો. શીતલબેન ચૌધરી એ કર્યું. કાર્યક્રમ માં Women Development Cell ના સભ્યો Dr. Ami Patel, Dr. Saleha Meman, Dr. Pooja Mesurani, Dr. Hetal Rathod, Dr. Priya Chauhan ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો. કાર્યક્રમ ના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું.