અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચારની અસર : રેલ્લાંવાડા ખાતે આવેલ માજુમ નદીના પુલ ના છેડે થયેલ ધોવાણનું સમારકામ કરાયું
હાલ ચોમાસાની સીઝન ચાલુ છે કેટલેક અંશે વરસાદ વધુ તો ક્યાંક ઓછો પડે છે પરંતુ પ્રિમોન્સૂન પ્લાન અંગે માર્ગ અને માકન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે તો ક્યાંક કામગીરી કરી સંતોષ માનવામાં આવે છે
રેલ્લાંવાડા ખાતે અંદાજિત ચાલીસ વર્ષ જૂનો માઝૂમ નદી પર બનાવેલ મોટો પુલ આવેલો છે છેલ્લા બે ત્રણ વર્ષ થી પુલના એક છેડે ધોવાણ થયેલું હતું અને એના માટે તંત્ર એ ધોવાણ અટકાવવા માટે સમારકામ પણ કર્યું હતું પરંતુ સમારકામમાં વેઠ વારી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે પુલનો એક છેડો દર વર્ષે એ ધોવાય છે આ વર્ષ એ પણ ધોવાણ ન થાય તે માટે પહેલાથી જ કાળી મોટી મેટર નાખવામાં આવી હતી પરંતુ એમાં માત્ર નાખી ને સંતોષ માન્યો હતો સરખું સમારા કામ થયું ન હતું જેના કારણે ફરીથી આ નવીન નાખેલી મેટલ સાથે પુલના એક છેડાના ભાગનું ધોવાણ વરસાદ ને કારણે થયું હતું જે અંગે વાત્સલ્યમ સમાચારપત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો અને અહેવાલની ધારદાર અસર થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોવાણ થયેલ ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું હજુ પણ ધોવાય વધુ ન થાય તે માટે આરસીસી દિવાલ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે યોગ્ય સમાર કામ થાય જરૂરી છે