
ગત રાત્રે બે વાગ્યે અજાબ ગામ ના મેઈન રોડ પર મગર જેવા મળતા શેરગઢ ના સરપંચ મોહિતભાઈ દયાતર એ પોતાનું વાહન ઉભું રાખી ને અજાબ ના સરપંચ મગનભાઈ અધેરા ને સ્થળ પર બોલાવી ને વન વિભાગ કેશોદ ને ટેલીફોનીક જાણ કરી વન વિભાગ ની રેસકયુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ મગર ને પકડવા મા સફળતા મળી પાંજરે પુરી ને તેમના કુદરતી રહેણાંક વિસ્તારમાં ઉચ્ચ અધિકારી શ્રી ની સુચના મુજબ છોડવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ અજાબ ગામ ગીર બોર્ડર નું હોય વારંવાર વન્ય પ્રાણી ઓ ની અવર જવર હોય લોકો એ સાવચેતી રાખવી અને વન્ય પ્રાણી ઓ ને છંછેડવા નહીં આ વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મલે કે તુરંત સરપંચ શ્રી મગનભાઈ નો સંપર્ક કરવો અથવા નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ ના વોલયંટર નો કોન્ટેક્ટ કરવા સુચન કર્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





