GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં ગેરકાયદેસર રીતે હાથલારી વાળાઓ રસ્તા ઉપર ઊભા રહીને વેપાર કરી ટ્રાફિકની સમસ્યાને જટિલ બનાવે છે

સંતરામપુરના મામલતદાર અને પ્રાંત ઓફિસરને પરેશાન થઈ ગયેલા નાગરિકોએ આવેદનપત્ર સુપ્રત કર્યું

સંતરામપુર નગરમાં પથારા વાળા અને હાથ લારીવાળા દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર ઊભા રહી દબાણ કરાતા જટિલ બનતી ટ્રાફિક સમસ્યા.

અમીન કોઠારી.  મહીસાગર….

 

રોજે રોજની જટિલ બનતી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયેલા નગરજનો દ્વારા પ્રાંત ઓફિસર મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

 

સંતરામપુર નગરમાં જુની ક

 

ન્યાશાળા થી સીભાઈચોકડી થી સુકી નદી પુલ સુધી ને મોટાબજાર શાકભાજી માર્કેટ ચાર રસ્તા થી ગોધરા ભાગોળ ચોકડીથી કોલેજ જતા રસ્તે અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને તેથી નાનાં મોટાં વાહનચાલકો ને રાહદારીઓ ને ભારે અગવડતા ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ટ્રાફીક થતાં રસ્તા માં આડેધડ નાના મોટા વાહનો ઉભા રહેતા ને પથારાવાળા ને હાથલારી આડેધડ ઉભી રખાતાં તથાં નાના મોટા વેપારીઓ તેમનો સરસામાન દુકાનો ની બહાર મુકતાં ને બોર્ડ રાખતા હોય ને દુકાન બહાર લટકણિયાં લટકાવી દેતાં હોય જેથી રસ્તા પર દબાણ થતાં ટ્રાફિક જામ ની સ્થિતિ અવારનવાર જોવા મળે છે.નગરનોઆ ટ્રાફિક જામ નો પ્રશ્ર્ન વરસો જુનો હોવાં છતાં પણ નગરપાલિકા સંતરામપુર અને સ્થાનિક તંત્ર ને સ્થાનિક પોલીસ દ્વારા નહીં ઉકેલાતા આ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવા માં આવે તે જરૂરી છે.
હાલમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા નગરમાં માત્રાને માત્ર દેખાડો કરવા પુરતી આવા દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.પરંતુ પાકાં ને કાચા દબાણો જે નગરમાં આ રસ્તાઓ પર થયેલ છે ને નગરમાં ભુતકાળમાં જે નાળિયાઓ સરકારી માલિકીની નગરપાલિકા ની મિલકતો હતી તે નાળિયાઓમા પણ પાકા દબાણો થયેલ છે જે નગરપાલિકા દ્વારા દુર કરાવાશે ખરાં??

સંતરામપુર ના મહુડી ફળિયા વિસ્તારમાં કાયમી દબાણ દૂર કરવાની માંગ સાથે સંતરામપુર પ્રાંત,મામલતદાર, ચીફ ઓફિસર ને પોલીસ ઇન્સ્પેક્ટર મહુડફળીયા ના યુવાનો વીજય બામણીયા.પપ્રવિણ પરમાર વિગેરે એ લેખીતમાં એક આવેદનપત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.હતુ.

મહુડી ફળિયા વિસ્તારમાં કાયમી દબાણ દૂર કરવાની માંગ સાથે તંત્રને આવેદન સંતરામપુર તાલુકાના મહુડી ફળિયા વિસ્તારમાં સરકારી દવાખાનાની સામેના માર્ગ પર થયેલા કાયમી અને હંગામી દબાણોને દૂર કરવા માટે સ્થાનિક યુવાનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન સંતરામપુરના મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પ્રાંત અધિકારીને સંબોધીને કરાયું અને આપવામાં આવ્યુ હતું.

આવેદન આપનાર વિજયભાઈ ગોપાલભાઈ ગામણીયાએ જણાવ્યુ હતું કે, અમારા વિસતારમાં અનેક નવીન બાંધકામો થયાં છે જેમાં કેટલાક બાંધકામો નિયમ વિરુદ્ધ રીતે રસ્તા પર દબાણ કરીને કરવામાં આવ્યા છે. સાથે સાથે સરકારી દવાખાનાની સામે લારીઓ અને ગલ્લાઓ પણ દબાણરૂપ ઊભી છે, જેના કારણે રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ વાહનો પાર્ક કરી રસ્તો અવરોધીત કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ દબાણના પુરાવા તરીકે તસવીરો તથા સંબંધિત પુરાવા પણ આવેદન પત્ર સાથે રજૂ કર્યા છે. તેઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે અમારી રજુઆત વાળા વિસ્તારનો ત્વરિત સર્વે કરીને માપણી કરાવીને કાયદા વિરુદ્ધ થયેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવે અને રહેવાસીઓને સરળ અવરજવ માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવે.
અગાઉ પણ આ અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયા હોવાને કારણે હવે લોકોમાં ઉગ્ર અસંતોષ છે અને તેઓ યોગ્ય નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે.
.

Back to top button
error: Content is protected !!