GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વિશ્વ થેલેસીમીયા દિવસની ઉજવણી અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ દ્વારા જીવલેણ બીમારી થી બચાવવા લોકોને જાગૃત કરાયા.

 

તારીખ ૦૫/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર વિશ્વ રેડ ક્રોસ દીવસ 8 મી મે થેલેસીમિયા માટે મનાવી રહ્યા છે તેના અનુસંધાને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા રેડ ક્રોસ રથ સમગ્ર ગુજરાતમાં મુખ્ય સ્થાનો પર જઈ ને જન જાગૃતિ અભિયાન માટે અને રેડ ક્રોસ સોસાયટી ની સેવાકીય પ્રવૃત્તિઓ ની જાણકારી મળે તે માટે કાલોલ નગર ખાતે આવી પહોંચતા જ્યાં રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર બાદ કાલોલ નગર પાલિકા ખાતે પ્રદર્શન અને રેડ ક્રોસ સોસાયટી ની વિવિધ સેવા ઓની યોજના ની જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ રથ ને કાલોલ નગર ના માર્ગ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જેમાં નગર પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ અને નગરપાલિકાના સભ્ય હરિકૃષ્ણ પટેલ સહિત વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી કાલોલ ના ચેરમેન સતીષભાઈ, વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા, ડૉ કિરણ પરમાર, ડૉ મનસૂરી,ડૉ સ્નેહાબેન પરીખ, ડૉ અંકિતભાઈ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઇ જોશી, પુર્વ ભાજપ શહેર પ્રમુખ નરેશભાઈ શાહ, ગૌશાળા ટ્રસ્ટી જયંતિભાઇ પંડ્યા સહિત અન્ય મહાનુભાવોએ હાજર રહ્યા હતા ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો જનસેવા ના આ પવિત્ર કાર્ય માટે હમેશ આગળ રહી ને નિઃસ્વાર્થ રીતે જોડાશે અને થેલેસીમિયા જેવી જીવલેણ બીમારી થી બચાવવા લોકોમાં જાગૃતિ લાવશે તેમ રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડોક્ટર યોગેશકુમાર પંડ્યાએ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!