JUNAGADHKESHOD

કેશોદ આંબાવાડી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે હોરી રસિયા ફુલફાગનો કાર્યક્રમ યોજાયો

કેશોદ આંબાવાડી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે હોરી રસિયા ફુલફાગનો કાર્યક્રમ યોજાયો

રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રિસામણા મનામણા વસંત પંચમીથી ફૂલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન સમભાગના આ દિવસો યમુનાજી ચંદ્રાવલીજી, રાધાજી અને લતાજીને અર્પણ કરવામાં આવ્યા છે. રસિયા ઉત્સવના આ 40 દિવસો દરમિયાન રાધાકૃષ્ણ અને ગોપીઓ ભગવાન શ્રીહરિ સાથેના ખેલના દિવસો તરીકે પણ રસિયા ઉત્સવનુ ખૂબ મહત્વ જોવા મળે છે. આ દિવસોમાં ભગવાન શ્રીહરિકૃષ્ણ રાધાજી અને તેમની ગોપીઓ સાથે રસિયા ગીત ગાઈને આ 40 દિવસની ધાર્મિક ઉજવણી કરાતી હતી તેવો ઉલ્લેખ સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ કરવામાં આવે છે. કેશોદ નાં આંબાવાડી વિસ્તારમાં આવેલી કડવા પટેલ સમાજ ખાતે ધામ ધૂમથી હોળી અનુસંધાને રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો પધારેલ હતાં ગોસ્વામી શ્રીમાન પરાગકુમર મહોદયજી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ વૈષ્ણવો મોટી સંખ્યામાં પધારેલ રસિયા ઉત્સવ દ્વારા એક બીજાપર રંગ બેરંગી ફૂલો વરસાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તથા ફાગના કિર્તન તથા રાધા કૃષ્ણ નાં ગીતો ની રમજટ બોલાવવા માં આવી હતી મહા આરતી કરી પ્રસાદ ની વહેચણી કરવામાં આવી હતી ગૌસ્વામી મહોદય પરાગ બાવા નાં જણાવ્યા મુજબ કોઈ સંપ્રદાય નાં વાડા બંધનો માં નાં બંધાવું બધા શ્રી નાથજી નાં જ સ્વરૂપો છે દરેકને સન્માન આપીએ અને ભાવથી ભજવું જોઈએ

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!