
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, રાજ્યપાલશ્રી જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ પદવીદાન સમારોહ અને એજ્યુકેશન ફેસ્ટિવલ – ૨૦૨૬માં સહભાગી થવા આવ્યા હતા. કેશોદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રીને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી .પટેલ, રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






