જૂનાગઢ જિલ્લા EMRI GREEN HEALTH સંચાલિત 1962 (દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું) માં ફરજ બજાવનાર ડોક્ટર યાર્મી ગોરિયા ને દીપકભાઈ દેવાભાઇ ગોહેલ ની માલિકી ની ગાય માતા ના શિંગડા માં કેન્સર(હોર્ન કેન્સર) હોવાના લક્ષણો જણાતા તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ સંસ્થા ના ઉપરી અધિકારી જૂનાગઢ જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર શ્રી ડૉ.તાલિબ હુશેન સાહેબ તેમજ પ્રોગ્રામ કોંડીનેટર શ્રી અજયભાઈ ચોધરી સાહેબ ની સૂચના મુજબ ડૉ.ભરતભાઈ મકવાણા તેમજ ડૉ.યાર્મીબેન ગોરીયા તેમના સાથી ડ્રેસર નિકુંજભાઈ મજેઠીયા તથા હિતેશભાઈ માવદિયા આમ બંને પશુદવાખાના ટીમ સાથે મળી ગાયમાતા ના શિંગડા નું સફળતા પૂર્વક ઓપરેશન કરી ગાયમાતા ને કેન્સરની બીમારી થી મુક્તિ અપાવી હતી.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ