GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો લાઇવ કાર્યક્રમ ૧૨૨મો એપિસોડ નિહાળવાનો કાર્યક્રમ કાલોલ તાલુકાના એરાલ ગામે ભારતીય જનતા પાર્ટીના તાલુકા મંત્રી તેજસભાઇ ના નિવાસસ્થાને તાલુકા ના તમામ બુથ સમિતિના કાર્યકર્તાઓ તેમજ પેજ સમિતિના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાલોલ તાલુકા પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ સાથે યુવા મોરચાના પ્રમુખ અજયસિંહ તેમજ મહામંત્રી હર્ષભાઇ,ઉપપ્રમુખ જીગરભાઇ સહિતના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







