GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લામાં મેધરાજાનો કહેર

મહીસાગર જિલ્લામાં મેધરાજાનો કહેર.
4 ગામ સંપૅક વિહોણા.
28.લોકોનુ રેરકયુ કરવામાં આવ્યું
અમીન કોઠારી મહીસાગર
મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
ધોધમાર વરસાદને પગલે સુવા ગામમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ ગયો છે.

ભારે વરસાદના કારણે ગામમાં ચિંતા વધતાં વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી
સુવા ગામમાં પાણીનો પ્રવાહ વધતાં નાયક ફળિયામાં રહેતા 28 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આઠ મકાનોમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગ પર બેરીકેટિંગ કરી અવરજવર અટકાવવામાં આવી છે અને સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.




