AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાં માટે શાંતિ પ્રાર્થના સાથે પાંચકુવા વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાઈ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

પહેલગામમાં અચાનક થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની યાદમાં આજે અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં શોકસભા તથા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. શાંતિ અને દિવ્ય આત્માઓના મોક્ષ માટે આયોજિત કાર્યક્રમમાં પાંચકુવા કાપડ મહાજન, બીબીસી માર્કેટ, સિંધી બજાર તથા ગુમસ્તા ભાઈઓએ સહભાગીતા આપી હતી.

સાંજે 6:30 વાગ્યે શરૂ થયેલી કેન્ડલ માર્ચમાં વેપારી મિત્રો અને સ્થાનિક નાગરિકોએ “ભારત માતા કી જય” અને “શ્રીરામ” ના નારા લગાવતાં શોકસભાનું વાતાવરણ ભાવુક અને ગમગીન બની ગયું હતું.

ઘટનાને લઈને સ્થાનિક વેપારી મિત્રો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી કે આતંકવાદ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે. આતંકી તત્વો સામે સલામતી દૃષ્ટિએ સરકાર દ્વારા ગંભીર અને અસરકારક કાર્યવાહી થવી જોઈએ, એવી માગણીઓ પણ આ અવસરે રજૂ કરવામાં આવી.

કેન્ડલ માર્ચનો સમાપન શાંતિ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ સાથે કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!