BANASKANTHAGUJARATPALANPUR
સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
20 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા સમગ્ર બાલમંદિર અને પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોના માર્ગદર્શન દ્વારા બાલમંદિર થી ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ ગુણધર્મનો ઉપયોગ કરીને રંગબેરંગી કલાત્મક રાખડીઓનું સર્જન કરવામાં આવ્યું હતું તે રાખડીઓનો ઉપયોગ કરીને આજે ભાઈ-બહેનના હેતના રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે રક્ષાબંધન પર્વની ઉજવણીને બિરદાવવામાં આવી હતી અને આ પવૅમાં ભાગ લેનાર સવૅ નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.




