વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી તા – 09 એપ્રિલ : માંડવી તાલુકાના બિદડા ગામ ના અને માંડવી તાલુકા શિવસેના પ્રમુખ અમીતભાઈ સંગાર એ બિદડા ગ્રામ પંચાયત ના વિરુદ્ધ મા તા-4/4/.ના રોજ ધરણા પર બેઠા.અમીતભાઈ ની માંગ હતી તે માંગ નુ ઉકેલ લાવા પર બિદડા ગામના સરપંચ દ્વારા ૧૫- દીવસ માં ગૌચર માં ઉભેલ ઝાડીઓ ની સાફસફાઈ તેમજ મધ્યમ વર્ગ ના વિસ્તારો માં રોડ લાઇટ લગાડવાની લેખિત ખાત્રી સરપંચ શ્રી જયાબેન છાભૈયા દ્વારા આપવમાં આવી હતી, તેમજ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે વિકાસ નાં કામો ચાલું કરવાની તેમજ રજૂઆતો અને ફરિયાદો નો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની ખાત્રી સરપંચ શ્રી જયાબેન છાભૈયા દ્વારા લેખિત માં ખાત્રી આપતા ધરણા પ્રદશન પૂર્ણ કરેલ છે, જો દીવસ ૧૫ માં ખાત્રી આપેલ હોવા છતાં કામો કરવામાં નહી આવે તો શિવસેના માંડવી દ્વારા બિદડા ગ્રામ પંચાયત ને તાળાબંધી કરવામાં આવશે તેવુ અમીતભાઈ સંઘાર શિવસેના પ્રમુખ માંડવી તાલુકા એ જણાવ્યુ હતુ.