GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ મંત્રીના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ સમારોહ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ સમારોહ યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. વિરણીયા વિસ્તારના ૧૦ ગામોના પશુપાલકોને સરકારશ્રીની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જેમ માનવીઓની ચિંતા કરી છે એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે. સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે. હવે તમારે કોઈ ડોકટર શોધવા નહીં જવુ પડે માત્ર ૧૯૬૨ ઉપર કોલ કરશો એટલે મોબાઈલ વાન આપના આંગણે હાજર થશે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!