BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા વય નિવૃત થઈ રહેલા જે.પી.પ્રજાપતિસાહેબનું વિદાય બહુમાન કરવામાં આવ્યું.

19 – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- આગામી તા.30-04-23ના વયનિવૃત થઈ રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે. પી પ્રજાપતિને ભારતમાતાની છબી અને સાલ વડે બહુમાન કરી નિવૃત્તિ પ્રવૃત્તિમય બની રહે તેવી જિલ્લાના શિક્ષકો અને સંગઠન વતિ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા,અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા અને ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!