25-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
અબડાસા કચ્છ :- અબડાસા તાલુકામાં હિંગળાજ નું 47-મુ પાટોત્સવ ઉજવવામાં આવ્યું .જેમાં ગામેગામ થી જ્ઞાતિજનો તથા વિવિધ સમાજના આગેવાનો પધાર્યા હતા સવારના હોમ હવન જુગલો દ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ હિંગળાજ માતાજીની શોભા યાત્રા કાઢવામાં આવી તે શોભા યાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આવ્યા હતા તે શોભા યાત્રા ભાનુશાલી ફળિયા થી બજાર ચોક થઈ મંદિરમાં પૂર્ણ થઈ અને બપોરના મહાપ્રસાદ રાખવામાં આવ્યું હતું.આ પાટોત્સવમાં સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા તથા એલ.એલ.બી કટારમલ તથા રમણીકભાઈ…દેશમહાજનના પ્રમુખ દામજીભાઈ જોઈસર તથા ઉપપ્રમુખ દિનેશ રામજી ચાંદરા તથા ગોવિંદ રવજી માવ તથા મહામંત્રી પરેશભાઈ જોયસર નલિયા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ ડામા,જગદીશભાઈ મંગે,નરશીભાઈ જાની,ઉમેશભાઈ કટારમલ,માધવજીભાઈ,રમેશભાઈ મનજી કટારમલ.આ કાર્યક્રમના મહાપ્રસાદ ના દાતા પરસોતમ કરસનદાસ ચાંદરા તથા રમેશ મુરજી કટારમલ પરિવાર હતા.
સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.