હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ ૨૨ થી ૨૮ મે દરમિયાન જૂનાગઢ જિલ્લાઓમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી આગાહી થયેલ છે. આવા સમયે પવન સાથે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેતીવાડી શાખા તરફથી જણાવવામાં આવ્યું છે.વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક પાકી ગયેલ હોય તેની કાપણી કરી તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતો અટકાવવું. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.આગોતરું વાવેતર કરવાનું હાલની સ્થિતિએ ટાળવું વાતાવરણ અનુકૂળ થઈ વાતાવરણ કરવું. એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન આવતી ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ સમયે ટેકાના ભાવે ખરીદી બંધ રહેવાની હોય જણસ વેચવા જતા પહેલા ખરીદ સેન્ટરનો સંપર્ક કરી આગોતરી માહિતી મેળવવી.બાગાયતી પાકો માટે ખેતરમાં પરિપક્વ થયેલ ફળ અને શાકભાજી સહિતના બાગાયતી પાકો માટે ઉતારી લેવા. ખાસ કરીને કેરી તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. ખેતરમાં વધારે વરસાદથી પાણી ભરાઈ ન જાય તે માટે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) અને બાગાયતી પાકો માટે નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢનો સંપર્ક કરવો. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ