DAHODGUJARAT

દાહોદ તાલુકાના રાબડાળના જંગલ વિસ્તારમાં આંગ લાગી.સામાજીક વનિકરણ વિભાગની કચેરીન પર તાળું જોવા મળ્યું

તા.૨૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના રાબડાળના જંગલ વિસ્તારમાં આંગ લાગી.સામાજીક વનિકરણ વિભાગની કચેરીન પર તાળું જોવા મળ્યું

આજરોજ શનિવાર વાત કરીયેતો રાત્રીના કોઈ સમયે દાહોદ તાલુકાના રાબડાળ ગામેં આવેલ વન ચેતના કેન્દ્ર રાબડાળ સામજીકં વનીકરણ વિભાગના જંગલ વિસ્તારના અગમ્ય કારણો સર આંગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જેની જાણ દાહોદના જાગૃત પત્રકારોને થતા તેઓ જંગલ વિસ્તારમાં જેમં તેમ પહોંચી!પોતાની કામગીરી કરી હતી.ત્યારે જંગલ વિસ્તારમાં અગમ્ય કારણો સર ફાટી નીકળેલી આંગ હવાના સાથે આંગળ વઘી રહી હતી. તે દરમ્યાન જેતે અધિકારીઓને ટેલિફોનીક જાણ કરતા તેઓ આં ઘટનાથી અજાણ હતા.અને સાથે ત્યારે વન ચેતના કેન્દ્ર રાબડાળ સામાજીક વનીકરણ વિભાગ દાહોદની કચેરીમાં તાળું જોવા મળ્યું હતું.જાણવાં મળ્યા અનુસાર જંગલ વિસ્તારમાં લાગેલી આંગની વાત વાયુ વેગે ફેલાતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હોવાનું જાણવાં મળેલ છે

Back to top button
error: Content is protected !!