MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લામાં 24 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ ની ઉજવણી કરાશે

મહીસાગર જિલ્લામાં ૨૪ એપ્રિલ થી 30 એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરાશે…

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…

 

મહીસાગર જિલ્લા આરોગ્ય શાખાના માર્ગદર્શનમાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લુણાવાડા શાંતિનગર આંગણવાડી કેન્દ્ર ખાતે ખીલખીલાટ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઓરી અને રુબેલાથી વંચિત રહેલા ગયેલા નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો તેમજ અન્ય રસીમાં વંચિત રહી ગયેલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે મહીસાગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી આર પટેલ, આરસીએચઓ ડો. કે કે પરમાર, ડીઆઇઈસીઓ રાકેશભાઈ બામણીયા તેમજ અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ હાજર રહ્યા હતા.

 

 

મહીસાગર જિલ્લામાં આજરોજ 100 જેટલી સેશન સાઈટ ઉપર ખીલ ખીલાટ રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવનાર છે તેમજ આ સપ્તાહ દરમિયાન કુલ 210 સેશન સાઇટ ઉપર વંચિત રહી ગયેલ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૨૪ એપ્રિલ થી 30 એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા ૨૪ એપ્રિલ ૨૦૨૫ (ચોથો ગુરુવાર) ખિલખિલાટ રસીકરણ, ૨૬ એપ્રિલ ૨૦૨૫ ઓરી અને રુબેલા રસીકરણ અને ૩૦ એપ્રિલ ૨૦૨૫ (પાંચમો બુધવાર) મમતા દિવસે રસીકરણનું આયોજન કર્યું છે. રસીકરણથી વંચિત રહી ગયેલા અથવા જેમનો ડોઝ છુટી ગયો હોય તેવા બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ વિશ્વ રસીકરણ સપ્તાહ માં કરાવી રસીથી અચૂક રક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!