AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં બોરખલ ગામ નજીક નિર્માણ પામી રહેલ ચેકડેમનાં કામમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરતા અનેક પ્રશ્નાર્થ

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

આહવા તાલુકાના બોરખલ ગામ નજીક નિર્માણ પામી રહેલ ચેકડેમનાં કામમાં ઇજારદાર દ્વારા મસમોટા પથ્થરો નાખી ભય વગરનો ભ્રષ્ટાચાર આચરતા અનેક સવાલ ઉભા થયા…       

ડાંગ જિલ્લામાં ચોમાસાનાં સમયમાં નક્કામું વહી જતુ પાણી રોકવા માટે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરી ચેકડેમોનું નિર્માણ કરે છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને ઈજરદારોની મિલીભગતમાં ચેકડેમોનાં બાંધકામમાં નકરી વેઠ જ ઉતારવામાં આવતા આ ચેકડેમ પ્રથમ વરસાદમાં જ ક્યાંક લીકેજ તો ક્યાંક ધોવાઈ જતા આ યોજના કાગળ પર જ સાર્થક રહેવા પામે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બોરખલ ગામ નજીક બની રહેલ ચેકડેમમાં ઇજારદારે કરેલ ગેરરીતિ મામલે સ્થાનિક જાગૃત આગેવાન દ્વારા મુખ્યમંત્રી સહીત વિજિલન્સ વિભાગમાં લેખિત રજુઆત કરી તપાસની માંગ માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ટેબ્રુનઘરટા અને બોરખલ નજીક ખાપરી નદીના પટ્ટમાં દમણ ગંગા વિભાગ દ્વારા ચેકડેમનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.અહી ગુણવત્તા યુક્ત કામગીરી કરવાની જગ્યાએ ઈજારદાર દ્વારા નદીનાં ગોળ પથ્થરો (રબ્બલ )નો બેફામ ઉપયોગ કરી વ્યાપક ગોબાચારી આચરવામાં આવતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠવા પામી છે. ડાંગ જિલ્લામાં દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે,પરંતુ તેનું યોગ્ય આયોજનનાં અભાવે વરસાદી પાણીને નકામું વહી જતા અટકાવવા નક્કર પગલા ન લેવાતા ચોમાસા બાદ જિલ્લામાં પીવાના પાણી સહીત ખેતી,પશુપાલન માટે લોકોને વલખા મારવાની નોબત ઉભી થાય છે.જેના કારણે હાલ દમણગંગા જળ સંપત્તિ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બોરખલ અને ટેમ્બરુનઘરટા વચ્ચે ખાપરી નદીમાં બની રહેલ ચેકડેમમાં ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદ હેઠળ ઈજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ સાથે માસ્ક કોંક્રિટને બદલે નદીના મોટા ગોળ પથ્થરોનો બેફામ ઉપયોગ કરી ગોબાચારી આચરવામાં આવી રહી છે.ખાપરી નદી પર બની રહેલા કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમના બાંધકામનું સુપરવિઝન કરવા સરકારી ઈજનેર કે એસ.ઓ.ની ગેરહાજરી ઈજરદારને ગેરરીતિ કરવા મોકળું મેદાન આપે છે તેવો ઘાટ સર્જાયો છે. જે રીતે ચેકડેમના બાંધકામમાં થઈ રહેલ ગેરરીતિ જોતા ચેકડેમ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જઈ નક્કામો બની જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.ત્યારે સરકારી કરોડો રૂપિયાની યોજના પાણીમાં જશે તેવી દહેસત સ્થાનિકો વર્ણવી રહ્યા છે.તેવામાં બોરખલ નજીક હાલ બની રહેલ દમણગંગા વિભાગનો ચેકડેમની ગુણવતા જળવાય તે માટે ઇજારદારે ઉતારેલી વેઠને તાત્કાલિક બંધ કરાવી પથ્થરો નાખેલ દીવાલને તોડી નવેસરથી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.જોકે બોરખલ ગામ નજીક બની રહેલ આ ચેકડેમમાં ઇજારદારે કરેલ ગેરરીતિ મામલે સ્થાનિક જાગૃત આગેવાન દ્વારા મુખ્યમંત્રી સહીત વિજિલન્સ વિભાગમાં લેખિત રજુઆત કરી તપાસની માંગ માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સમગ્ર બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો દમણ ગંગા વિભાગનું મસમોટુ કૌભાંડ બહાર આવે  તેમા બેમત નથી.ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..આ બાબતે ડાંગ જિલ્લા દમણગંગાનાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર રાજુભાઈ ભોયેને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે બોરખલ ગામ નજીક નિર્માણ થઈ રહેલ ચેકડેમનો એબોર્ટનો ભાગ પથ્થરનો છે.જેના પર કોન્ક્રીટ કરતા હોય એટલે પથ્થર દેખાઈ રહ્યા હોય તેમ છતાંય જો ઇજારદાર દ્વારા જો  પથ્થર નાખવામાં આવ્યા હોય તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!