
વિજાપુર તાલુકાના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજી ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે બુધવારે વૈશાખ સુદ 6ના પાવન દિવસે શ્રી જોગમાયા માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. સમગ્ર ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજ્યસભા જુગલસિંહ મથુરજી ઠાકોર અને સમસ્ત ક્ષત્રિય ઠાકોર સેવા સમિતિ ના પ્રમુખ રણજીતસિંહ ચતુરજી ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેના દ્વારા ભક્તોમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જોગમાયા મિત્ર મંડળ અને ગામના તમામ ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન નીલેશજી સુરેશજી મિલનજી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.




