BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

મોબાઈલ પરત કરવાનું અભિયાન:પાનોલી પોલીસે CEIR પોર્ટલ દ્વારા 1.6 લાખના 6 મોબાઈલ મૂળ માલિકોને સોંપ્યા

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરની પાનોલી પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલા રૂ. 1.6 લાખની કિંમતના 6 મોબાઈલ શોધી કાઢ્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ મારફતે એક્ટિવ થયેલા મોબાઈલને ટ્રેસ કર્યા હતા. ત્યાર બાદ આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પોલીસે નાગરિકોને મોબાઈલ ચોરી કે ગુમ થવાના કિસ્સામાં માર્ગદર્શન આપ્યું છે. નાગરિકોએ WWW.CEIR.GOV.IN વેબસાઈટ પર જઈને ગુમ થયેલા મોબાઈલની માહિતી આપવાની રહેશે. આ માહિતી આપ્યા બાદ એક આઈડી મળશે. આ આઈડીથી મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકાય છે. વધુમાં, આ પોર્ટલ પરથી મોબાઈલને બ્લોક પણ કરાવી શકાય છે.

Back to top button
error: Content is protected !!