નર્મદા જિલ્લામાં રાજપીપલા,નર્મદા ડેમ અને SOU ખાતે એક સાથે ત્રણ જગ્યાઓ પર યોજાઈ મોકડ્રિલ
રાજપીપળા : જુનેદ ખત્રી
કાશ્મીર ના પહેલગાંવ ખાતે થયેલ આંતકી હુમલામાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓ ને ધર્મ પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારનાર આતંકીઓ ને સબક શીખવાડવા આવા અને રાષ્ટ્રીય આતંકીઓ ના સંઘઠન ને આશરો આપનાર પાકિસ્તાન પર ભારતે મિશન સિંદૂર નામે સ્ટ્રાઇક કરી છે ત્યારે યુદ્ધ આગળ વધે અને 125 કરોડ દેશ વાસીઓ ની સુરક્ષા માટે યુદ્ધ થાય તો કેવી કાળજી રાખવાની કેવા સાયરન વાગે ત્યારે કેવી તકેદારી રાખવાની જેની માહિતી આપવા માટે દેશના તમામ જિલ્લા તાલુકા મથકો અને મહત્વના મથકો પર મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળા શહેર ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા સૂર્યાપ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે, SOU સત્તા મંડળ દ્વારા SOU પરિસર માં અને નર્મદા બટાલિયન SRP ગ્રુપ અને નર્મદા નિગમ દ્વારા નર્મદા ડેમ પર મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા નગરપાલિકા દ્વારા સૂર્યાપ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે આગ લગતા આખો કોમ્પ્લેક્સ ખાલી કરાવ્યો હતો અને અંદર ફસાયેલ અનેક લોકોને હેમ ખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મોકડ્રિલમાં ASP લોકેશ યાદવ, ડીવાયએસપી.પી.આર પટેલ પી.એસ.આઈ વી.કે.ગઢવી, પાલિકા ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.