JUNAGADHMANGROL

માંગરોળમાં કુંજ અને સુરખાબનો શિકાર કરતા 8 શિકારીઓ ઝડપાયા ,

જૂનાગઢ જિલ્લાના માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓને શિકાર કરી રહેલા આઠ શિકારીઓને 29 મૃત પક્ષીઓ સાથે પોલીસ ઝડપી પાડયા છે. પોલીસ તમામ શાખસોને વનવિભાગ હવાલે કયૉ છે.

લંબોરા ડેમ પાસે પક્ષીઓને શિકાર થતો હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ હતી.ગામલોકોની મદદથી માંગરોળ પોલીસ લંબોરા ગામના ડેમ અને નોળી નદીની બાજુમાં શિકાર કરતા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શિકારીઓ પાસેથી શિકાર કરાયેલા 29 મૃત પક્ષીઓ મળી આવ્યા હતા

ગડપાયેલા શિકારીઓને નામ મોહમદ હુસેન ઢીમર,ઐયુબ જુમ્મા રાડીયા,ઉંમર સુલેમાન રાડીયા,ફીરોજ હુસેન ઢોકી ,સલીમ મોરા ભેંસલીયા,ઇસુબ સુલેમાન ભેંસલીયા,ઇસુબ ઓસમાન લુયાણી ,અસલમ સુલેમાન ઇસબાણી ને 28 મૃત સુરખાબ પક્ષી 1,પક્ષી મળી આશરે કુલ કિ રૂ,58000 મોબાઈલ નંગ-7 કુલ કિ રૂ 27000 મોટરસાયકલ નંગ-5કુલ કિ રૂ 1,60 ,000 તેમજ શિકાર ના સાધનો મળી કુલ કિ રૂ-2,46,200 નો મુદ્દામાલ પકડી પીએસઆઇ એસ,એ,સોલંકી તથા પો હેડ.કોન્સ, સુરેશભાઈ દાફડા તથા પો.હેડ કોન્સ ભગવતસિંહ ઝણકાટ સહિતના પોલીસ સ્ટાફ તમામ આરોપીઓને વન વિભાગને સોંપી દીધેલ હતા.

મૃત પક્ષીઓ તેમજ શિકારમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વેટરીનરી ડોકટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંગરોળ વન વિભાગને કાયદેસરની કાયૅવાહી કરવા પકડાયેલા 8 શિકારીઓ સોંપવા માં આવ્યા હતા

—— રિપોર્ટર—- વસંત ભાઈ અખિયા માંગરોળ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!