GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધૂળકોટ ગામે સ્મશાન માટે ફાળવેલ જમીનમાં વાવેતર કરી કબ્જો ખાલી ન કરતા: ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીના ધૂળકોટ ગામે સ્મશાન માટે ફાળવેલ જમીનમાં વાવેતર કરી કબ્જો ખાલીન કરતા: ફરિયાદ નોંધાઈ

 

 

મોરબીના ધૂળકોટ ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમાર એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેના ગામમાં અનુ.જાતીના સ્મશાન માટે જમીન મળવા પત્ની કંકુબેન એ નાયબ કલેકટરને અરજી કરેલ હતી જેના આધારે નાયબ કલેકટર દ્વારા પત્ર નંબર-જમન/વશી/૧૨૧૩૪૪૦૦/૨૦૨૧ તા. ૨૭-૦૫-૨૦૨૧ થી ધૂળકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર -૧૪૪/૧/૧ પૈકી નું કુલ ક્ષેત્રફળ હે.૪૯/૯૯/૯૧ ચો.મી.ની જમીન અનુ.જાતી માટે સ્મશાન નીમ કરવા હુકમ થયેલ છે ત્યાર બાદ આ જમીનનો જ્ઞાતિના માણસો ઉપયોગ કરતા હોય પરંતુ સ્મશાન માટે ફાળવેલ જમીનની બાજુમાં તેના ગામના દીપુભાઈ દામજીભાઈ ચાવડા ની ખેતીની જમીન આવેલ હોવાથી આ દીપુભાઈ ચાવડા એ જમીન અનુ.જાતીના સ્મશાન માટે કાયદેસર રીતે ફાળવેલ હોય તેમજ જમીનની માપણી થયેલ હોય તેમાં પણ જમીન અનુ.જાતીના સ્મશાન માટેની જમીન હોવાનું જણાવેલ છે તેમ છતાં આજ થી આશરે બે વર્ષ થી આજદિન સુધી જમીનમાં ખેતી કામ કરતા હોય જેથી જ્ઞાતિના ફાળવેલ જમીનમાં ખેતી કામ નહિ કરવા માટે રજૂઆત કરેલ છતાં પણ ખાલી ન કરતા મોરબી તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવી છે

Back to top button
error: Content is protected !!