MORBI:મોરબીના સીમાવર્તી ગામોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

MORBI:મોરબીના સીમાવર્તી ગામોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિના પવિત્ર અવસરે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારોમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીના સીમા જાગરણ મંચ, ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પાંચ ગામોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાનો સંગમ: ૩૦૦થી વધુ ગ્રામજનોએ લીધો લાભ
આ મેડિકલ કેમ્પ મોરબીના સીમાવર્તી ગામો જેવા કે સોલંકીનગર, ફડસર, ઉટબેટ, સામપર અને બેલા (આમરણ) ખાતે યોજવામાં આવ્યો હતો. અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કેમ્પમાં આશરે ૩૦૦થી વધુ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જરૂરી નિદાન તેમજ સારવારનો લાભ મેળવ્યો હતો.ટીમ વર્ક અને સેવાભાવી નેતૃત્વ કેમ્પને સફળ બનાવવા માટે સીમા જાગરણ મંચના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી, જેમાં:શ્રી હિરેનભાઈ વિડજા (સહ-સંયોજક, સૌરાષ્ટ્ર પ્રાંત) શ્રી વિનોદભાઈ સનારીયા (જિલ્લા અધ્યક્ષ, મોરબી)શ્રી રાજેશભાઈ એરણીયા (જિલ્લા સંયોજક) જિલ્લા ટોળીના સભ્યો: શ્રી મનીષભાઈ પટેલ, શ્રી બીપીનભાઈ અઘારા, શ્રી રાજભાઈ અમૃતિયા, શ્રી દિનેશભાઈ બારૈયા, શ્રી પ્રસાદભાઈ ગોરીયા અને ડો. મિલનભાઈ વ્યાસ.આ ઉપરાંત, શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજના નિષ્ણાત ડૉક્ટરો અને સમગ્ર સ્ટાફે ખડેપગે રહીને દર્દીઓનું નિદાન કર્યું હતું.
સ્થાનિક સહયોગ આ કાર્યક્રમની સફળતા પાછળ જે-તે ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક યુવાનો અને ગ્રામજનોનો પણ મોટો ફાળો રહ્યો હતો. સૌના સામૂહિક પ્રયાસોથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સાચા અર્થમાં ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્ર સાથે કરવામાં આવી હતી.









