GUJARATMORBIMORBI CITY / TALUKO

SURAT:સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કક્ષાની ‘સંગઠન ચર્ચા સભા’ યોજાઈ

 

 

SURAT:સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કક્ષાની ‘સંગઠન ચર્ચા સભા’ યોજાઈ

 

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) નવી દિલ્હી દ્વારા ગુજરાતના સુરત શહેરમાં આયોજિત સંગઠન ચર્ચા સભામાં દેશના વિવિધ રાજ્યોના સભ્યોએ ભાગ લીધો

સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વ પૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો, સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેચતાણ અંગે કુંવરજી બાવળિયાએ આકરા પ્રહારો કર્યા હતા. બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતા લને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણ છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા તત્વોથી સમાજને સાવચેત કરવાનો હતો. સમાજનું હિત સંગઠનમાં છે, પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણ ફેલાવે છે. કોળી સમાજે આવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા, સાંસદશ્રી ઉમેશભાઈ કોળી પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જિજ્ઞાસાબેન મેર અને લગભગ બારેક જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીયા સુરત ખાતે મળવાનું થયું હતું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.

સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને મારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે એ સ્થિતિમાં કામ કરશે, પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું છે તેના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું.

Back to top button
error: Content is protected !!