MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
MORBI – મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
મોરબી : કાશ્મીરના પહેલગાવમાં તાજેતરમાં પ્રવાસીઓ ઉપર અત્યાર સુધી સૌથી મોટો આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આંતકી હુમલામાં અનેક પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં ગુજરાતના ભાવનગરના પિતા-પુત્ર પણ આંતકી હુમલામાં મૃત્યુ પામ્યા છે. તેથી ગુજરાતભરમાં આંતકી હુમલા સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ભાવનગરના દીવગંત પિતા પુત્રને શ્રધ્ધાંજલી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સાથે મોરબીના સેવાભાવિ યુવાન અજયભાઈ લોરીયા અને તેમની ટિમ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારને સાંત્વના આપી