GUJARATMORBIMORBI CITY / TALUKO

BANASKANTHA NEWS બનાસકાંઠાની આયુષી જોષીએ ધોરણ 10 બોર્ડમાં 98.42 PR મેળવી વગાડ્યો ડંકો, ભવિષ્યમાં CA બનવાની ઇચ્છા

BANASKANTHA NEWS બનાસકાંઠાની આયુષી જોષીએ ધોરણ 10 બોર્ડમાં 98.42 PR મેળવી વગાડ્યો ડંકો, ભવિષ્યમાં CA બનવાની ઇચ્છા

 

 

આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 83.08 ટકા આવ્યું છે. આ દરમિયાન બનાસકાંઠાના વાવ તાલુકાના કાણોઠી ગામની વિદ્યાર્થિની આયુષી બેન પ્રવિણ ભાઇ જોષીએ ધોરણ 10 બોર્ડમાં 98.42 PR (A1 ગ્રેડ) અને 93.33 ટકા મેળવી ઝળહળતી સિધ્ધી મેળવી છે.

 

આયુષી જોષીનું સફળતાનું રહસ્ય ગુજરાતી જાગરણને આયુષી જોષીએ પોતાની સફળતા વિશે જણાવ્યું કે, ‘મેં આ પરિણામ મેળવવા માટે ખુબજ મહેનત કરી છે. ધોરણ 10 દરમિયાન મેં મોબાઇલ, ટીવી, ફેમિલી ફંકશન વગેરે બાબતોનો ત્યાગ કર્યો હતો. મારુ તમામ ફોક્સ ફક્ત અભ્યાસ પર જ હતું. હું દિવસ દરમિયાન સ્કૂલના ટાઇમ સિવાય 6 થી 7 કલાક નું વાંચન કરતી હતી. સ્કૂલમાં શિક્ષકો દ્વારા જે ભણાવવામાં આવતું હતું, તેનું ઘરે આવીને રિવિઝન કરતી હતી. જેથી મને પરીક્ષા સમયે છેલ્લી ઘડીએ અન્ય પુસ્કતો વાંચવાની જરુર રહેતી ન હતી.’

વધુમાં જણાવ્યું કે, ‘મારે હવે કોર્મસમાં એડમિશન લેવું છે અને ભવિષ્યમાં CA બનવાની ઇચ્છા છે. મારી મહેનત પાછળ મારા પરિવારનો પણ ખુબજ સપોર્ટ રહેલો છે, મારા પિતા પ્રવિણ ભાઇ જેઓ ખુદ શિક્ષક છે, તેથી તેમની પાસેથી પણ મને ઘણું બધુ શિખવા મળતું હતું, અને મારી માતા મધુ બહેન તેઓ પણ બાળ મંદિરમાં ફરજ બજાવે છે, તેમ છતા તેઓએ મારા માટે ટાઇમ કાઢીને મારી તમામ જરુરીયાતો પુરી કરી છે અને મને સપોર્ટ કર્યો છે. ‘

શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો આયુષી બેને ધોરણ 10 વાવની અંદર આવેલી ગાયત્રી વિદ્યાલયમાંથી પ્રથમ ક્રમાંકે પાસ કરેલ છે. શાળા પરિવાર તેમજ તેમના પરિવારજનો આ સફળતાથી ખુબ જ ખુશ છે. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા છે.

Back to top button
error: Content is protected !!