GUJARATKUTCHMANDAVI

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત માંડવી ખાતે તાલુકાના તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી માંડવી ખાતે તાલુકાના તલાટી અને સરપંચની તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૨૨ ઓક્ટોબર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી માંડવી ખાતે તાલુકાના તલાટી અને સરપંચની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામકક્ષાએ ઘન અને પ્રવાહી કચરા યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા અંગેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. તેમજ લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારુ જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબધ્ધ બને તે માટે કર્મચારીઓને તાલીમથી માહિતગાર કરવામાં આવ્યા હતા.રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદના માસ્ટર ટ્રેનર વિનુભાઈ અને ભાનુબેન દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી શામળભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી રેખાબેન બાપટ, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપપ્રમુખ કનુભા જાડેજા, માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખશ્રી જીવરા ભાઈ ગઢવી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના IEC કન્સલ્ટન્ટશ્રી જીતેન્દ્ર ભીલ, તાલુકા Stats કો.ઓડીનેટરશ્રી મહેન્દ્ર વેણ, ક્લસ્ટર કો-ઓર્ડીનેટરશ્રી તેમજ તાલુકાના ગામોના સરપંચ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!