GUJARATIDARSABARKANTHA

કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
**

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ૧૭મા સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર (નવા), હિંમતનગરનાં એન.એસ.એસ. યુનિટ દ્વારા ૭મી જુલાઈ, ૨૦૨૫ના રોજ વિશાળ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ભરતભાઈ શંકરભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેઓએ કામધેનુ યુનિવર્સિટી આયોજિત વૃક્ષારોપણની કામગીરી બિરદાવી હતી અને આવનારા સમયમાં રાજપુર ગ્રામ પંચાયત દ્વારા રાજપુરથી કામધેનુ યુનિવર્સિટીને જોડતા માર્ગની બંને બાજુ પર વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ પંચાયત તરફથી જરૂરી તમામ સહયોગ પૂરો પાડવા ખાત્રી આપી હતી. વૃક્ષારોપણ દરમિયાન કોલેજ પરિસરમાં હરિયાળી માટે ભારતીય મૂળના લીમડો, ગુલમહોર વગેરે જેવા ૧૦૦ છોડ રોપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર (નવા), હિંમતનગરનાં પ્રાધ્યાપક ગણ, સ્ટાફ તેમજ એનએસએસ સ્વયંસેવકોએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને વૃક્ષોનું સંવર્ધન કરી સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Check Also
Close
Back to top button
error: Content is protected !!