. બનાસ નદીના તટે આવેલી જાગૃતિ વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલમાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠાના આદ્યસ્થાપક સ્વ. દોલતભાઈ પરમાર સાહેબના ચિરંજીવી અને નવજીવન બી.એડ કોલેજના પ્રોફેસર શ્રી ડો. નિરવભાઈ પરમાર સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પર્વે તેમણે બાળકોને વાલીઓને સત્ય કરુણા અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપી અને ભારતનો વિકાસ થાય તેવું સૂચન કર્યું હતું. અને શાળાના મેદાનમાં વૃક્ષોનું તેમના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.