
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે હઝરત સૈયદ નઈમુદ્દીન જલાલી બાવાના 19મા ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્ષના પાવન અવસરે હિન્દુ–મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હઝરત સૈયદ નઈમુદ્દીન જલાલી બાવાની દરગાહ પ્રત્યે તમામ ધર્મના લોકો અપૂર્વ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. માન્યતા મુજબ અહીં હાજરી આપવાથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉર્ષ દરમિયાન દરગાહ ખાતે ખાસ દુઆઓ, ચાદર પેશી.કવ્વાલી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે વિવિધ સમાજના લોકો એકત્રિત થઈ ભાઈચારું અને ધાર્મિક સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.



