MALIYA (Miyana):માળીયાના( મી.) વવાણીયા ગામે શિકાર બાબતે માથાકૂટ થતા બે મિત્રોએ ઝઘડો કરી યુવાનને ગોળી ધરબી દીધી હોવાનો ઘડાકો
MALIYA (Miyana):માળીયાના( મી.) વવાણીયા ગામે શિકાર બાબતે માથાકૂટ થતા બે મિત્રોએ ઝઘડો કરી યુવાનને ગોળી ધરબી દીધી હોવાનો ઘડાકો
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં મોરબીથી શિકાર કરવા માટે બે મિત્રો ગયા હતા અને માળીયા મિંયાણા ગામનો એક શખ્સ તેની સાથે હતો તે દરમિયાન આ ત્રણેય શખ્સો શિકારની રાહ જોઈને બેઠા હતા અને તેની પાસે દેશી બનાવટની લોડ કરેલી બંદૂક પણ હતી તેવામાં શિકાર આવી જતા ત્રણેય વચ્ચે બોલાચાલી થતા ઉશકેરાઈ ગયેલા શખ્સે લોડ કરેલી દેશી બંદૂકમાંથી યુવાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા
જાણવા મળતી વિગત મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ પાસે શિકાર કરવા ગયેલા વસીમ પિલુડીયા નામના યુવાનને ગોળી વાગતા તેનું મોત નિપજ્યુ હતું જે બનાવ અંગે પ્રથમ પોલીસ અને મૃતક યુવાનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે થઈને મૃતક યુવાનની સાથે રહેલા શખ્સોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક સાલીપ થતા યુવાન પોતાના બાઈક ઉપર થી પડી ગયો હતો અને તેની પાસે રહેલ બંદૂકમાંથી ગોળી છૂટવાના કારણે તે ગોળી યુવાનને વાગી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું જોકે આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જેની પોલીસ સ્ટેશનથી મળતી વિગત પ્રમાણે મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર દશમાં રહેતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પીલુડીયાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. મિયાણા વાળા સામે પોલોસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરીયાદીએ જણાવ્યું છે કે તેનો દીકરો વસીમ ગુલામહુસેન પીલુડિયા (38) તથા અસલમ અને જાવીદ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોઝડાનો શિકાર કરવા માટે થઈને મોરબીથી ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢી હતી અને તેને લોડ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને દીકરો વસીમ સહિતના ત્રણેય વ્યક્તિઓ શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેથી વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ ચલાવી રહ્યા છે